નટવરગઢ: 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના દીકરા પર કર્યો હુમલો, સરપંચ પુત્રનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢમાં 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બાળકે સુરેન્દ્રનગરના નટવરગઢ ગામે 21 વર્ષીય યુવકની હત્યા કરી નાખી હતી.
16 વર્ષના કિશોરને કોઈ કારણોસર આપ્યો હતો ઠપકો
નટવરગઢ ગામના સરપંચે 16 વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો અને આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું. કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું કે તેણે સરપંચ અને તેમના 21 વર્ષના પુત્ર પર છરીના ઉપરાઉપરી ઘા માર્યા હતા. સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: આણંદમાં બે કાર વચ્ચે થઈ ભયાનક ટક્કર, દુર્ઘટનામાં એક કાર બ્રિજ પરથી નીચે ખાબકી
કિશોરને સરપંચ અને તેના પુત્ર પર ઘાતક હુમલો કર્યો
આ ઘટનામાં સરપંચના 21 વર્ષના પુત્રનું મોત થયુ છે, તો સરપંચની હાલત ગંભીર થતા તેમને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. તો બીજી તરફ 16 વર્ષના કિશોરે હત્યા કરવાની ઘટનાની સમગ્ર નટવરગઢમાં ટોકઓફ ધ ટાઉન બની હતી.

