ઓલપાડના સાયણની મહિલા સરપંચે કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઈ લેતા ખળભળાટ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગ્રામ પંચાયતની મહિલા સરપંચે આપઘાત કરી લીધો હતો. મહિલા સરપંચના આપઘાતને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. મહિલા સરપંચે ક્યા કારણોસર આપઘાત કરી લીધો તેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સાયણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જિજ્ઞાશા ઠક્કરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મહિલા સરપંચના આપઘાત પાછળનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. મહિલા સરપંચના આપઘાતને લઈને તાલુકા સરપંચ આલમમાં ખળભળાટ મચી ગયો છે. હાલ ઓલપાડ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

