VIDEO : Suratમાં 'અધિકારીઓ ફોન ઉપાડતા નથી', કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખીને કર્યા ગંભીર આક્ષેપો
સોર્સ : gstv
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગ અને મીટિંગોમાં અધિકારીઓ વ્યસ્ત હોવાના કારણે લોકહિતના અને વિકાસના કામો અટકી પડ્યા છે. છેલ્લા પાંચ દિવસથી ફોન કરવા છતાં તંત્ર તરફથી કોઈ જવાબ ન મળ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. કાનાણીએ માંગ કરી છે કે ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે, નહીંતર લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે. વિકાસના કામો પર વસ્તી ગણતરીની કોઈ અસર ન થાય તેવું યોગ્ય આયોજન કરવા મનપા તંત્રને તાત્કાલિક વિનંતી કરાઈ છે.

