VIDEO : Surat કતારગામ ભૂતિયા ડિમોલિશન મામલે 6 સભ્યોની તપાસ કમિટિની રચના
સોર્સ : gstv
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીર નગરના 100થી વધુ કાચા પાકા મકાનોના નકલી ડિમોલિશન મામલે પાલિકા કમિશનરે ગંભીરતા દાખવી છ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.એમ. ગજ્જર અને એમ.એમ.ડોક્ટર , તેમજ એડિશનલ સીટી ઇજનેર એમ.ડી. ચાવડા સહિત બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી પોતાનો અહેવાલ પાલિકા કમિશનરને સોંપશે, જેના આધારે જવાબદાર અને કસૂરવાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

