VIDEO: સુરતમાં અન્ય શાળામાં સ્થળાંતર કરાતા વિદ્યાર્થીઓનું ઉપવાસ આંદોલન, વાલીઓએ કર્યો આ આક્ષેપ
સોર્સ : gstv
સુરતના મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં અભ્યાસ કરતા 320 વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાલીઓનો આક્ષેપ છે કે 14 મે 2026ના રોજ નિર્ણય લેવાયા બાદ 2 જૂનના રોજ તેની જાણ કરવામાં આવી હતી અને તેમની સંમતિ પણ લેવામાં આવી નહોતી. નવી શાળા દૂર હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને જૂની શાળામાં જ અભ્યાસ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે.

