VIDEO: સુરતમાં રેગિંગને કારણે વિદ્યાર્થીની આત્મહત્યા: કોંગ્રેસે સરકાર પર સવાલ ઉઠાવ્યા
સોર્સ : gstv
સુરતમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીની રેગિંગને કારણે આત્મહત્યાની ઘટના બાદ કોંગ્રેસે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શોક વ્યક્ત કરી જણાવ્યું કે 2012થી 2022 દરમિયાન ગુજરાતમાં 105 અને 2022થી 2026માં 86 રેગિંગ ફરિયાદો નોંધાઈ છે. છેલ્લા ચાર વર્ષમાં મેડિકલ કોલેજોમાં 23 ફરિયાદ નોંધાઈ છે. કુલ ફરિયાદમાં 26 ટકાથી વધુ મેડિકલ કોલેજોની છે. કોંગ્રેસે 24 કલાકમાં FIR, અલગ હોસ્ટેલ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

