Surat News: ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા, આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા સેમ્પલ

સુરત શહેરમાં મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને 14 સંસ્થાઓમાંથી કુલ 24 નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
24 નમૂના લેવાયા
મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં ફરસાણનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 14 સંસ્થાઓ માંથી ખમણ, ઇદડા, પાતુડી, લોચોના 24 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોટિસ સહિતની કાર્યવાહી થશે
ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ, પાર્લે પોઇન્ટ, ઉધના, વેડરોડ, કતારગામ, વરાછા રોડ, રાંદેર પાલનપુર પાટિયા, ઉધના મગદલ્લા રોડ સહિતના વિસ્તારોમાં ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને નમૂના લીધા હતા તેમજ સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ પણ આપવામાં આવી હતી.

