VIDEO: Suratમાં પાટીદાર દીકરીનો બ્લેકમેઈલિંગ બાદ આપઘાત, ન્યાયની માગ સાથે કેન્ડલ માર્ચ
સોર્સ : GSTV
સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર દીકરીને બ્લેકમેઈલિંગ કરાયા બાદ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જેથી દીકરીઓ પર વધતા જતા ત્રાસ અને અસામાજિક તત્વોના વધતા આતંક સામે માત્ર વાતો કરીને નહીં પરંતુ એક થઈને સામે ઊભા રહેવાનો સંકલ્પ જાગૃત નાગરિકોએ લીધો હતો. કતારગામમાં થયેલી દુઃખદ ઘટના—19 વર્ષની ટ્યુશન શિક્ષિકા સ્વ. નેનુબેન રજનીભાઈ વાવડિયાની આત્મહત્યાની પાશ્વભૂમિમાં—અસામાજિક તત્વો અને દુષપ્રેરણાના વિરોધમાં ડભોલી ચારરસ્તા થી આંબાતલાવડી ટેન્ક સર્કલ સુધી મૌન કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખીને ન્યાયની માગ કરી હતી.

