VIDEO: સુરતના ઉધના રેલવે વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમા પાણી, જનજીવન પ્રભાવિત
સોર્સ : gstv
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓફિસ કે ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવીને પણ એક છેડેથી બીજા છેડે જવા માટે આ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. દર ચોમાસે આ જર્જરિત સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પાલિકા તંત્ર દ્વારા આ ગરનાળાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

