VIDEO: સુરતમાં ખાડીમાં પૂર આવતા મંદિરમાં વરસાદી પાણી પ્રવેશ્યા, ધાર્મિક પ્રવૃતિઓ પ્રભાવિત થઈ
સોર્સ : gstv
ખાડી પુરના કારણે સુરત જિલ્લાના કુંભારિયા ગામમાં આવેલા પ્રસિદ્ધ મંદિરમાં વરસાદી પાણી ઘુસી ગયા. પુરના પાણીથી મંદિરના આંગણા સુધી પાણી ભરાઈ જતાં ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શક્યા નથી... ખાડી પુરના કારણે આસપાસની અનેક જગ્યાએ પાણી ઘૂસી ગયા, જેના કારણે સ્થાનિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો.... રોજિંદા દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો... મંદિર સંચાલકોએ ભક્તોને સાવધાની રાખવા અપીલ કરી છે. વરસાદ અને પુરના પાણીને કારણે આ વિસ્તારમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે.

