VIDEO: અમદાવાદ: સુરતમાં વરસાદી આફતને પગલે નસીરનગરની સુનાવણી મુલતવી
સોર્સ : gstv
સુરતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટમાં ચાલી રહેલી નસીરનગરની સુનાવણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર અને મનપા કમિશનરે સુરતમાં વરસાદી તારાજીની સ્થિતિ ટાંકીને કોર્ટ પાસે સમયની માંગણી કરી હતી. બંને પક્ષકારોની રજૂઆતને ધ્યાને લઈને હાઇકોર્ટે સુનાવણી મુલતવી રાખી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી ૨૮ જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

