VIDEO: સુરતમાં બોર્ડ મૂલ્યાંકનમાંથી ૧૯૭ શિક્ષકો ગેરહાજર, DEO દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો
સોર્સ : gstv
સુરતમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાંથી ૧૯૭ શિક્ષકો ગેરહાજર નોંધાયા છે. જેમાં અર્થશાસ્ત્રના ૭૧, વાણિજ્ય વ્યવસ્થાના ૪૧, ગુજરાતીના ૩૪ અને હિન્દીના ૨૬ શિક્ષકોનો સમાવેશ થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંબંધિત શાળાઓના આચાર્યો પાસે આ અંગેનો કારણદર્શક ખુલાસો માંગવામાં આવ્યો છે. જો શાળાઓએ શિક્ષકોને મુક્ત ન કર્યા હોય તો સંચાલકોએ શિક્ષકદીઠ દંડ ભરવો પડશે, જ્યારે શાળાઓ દ્વારા છૂટા કરવા છતાં શિક્ષકો મનસ્વી રીતે ગેરહાજર રહ્યા હશે તો દંડની રકમ તેમણે જાતે ભરવી પડશે

