VIDEO: સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકા કોંગ્રેસના પીઢ નેતા કાળુસિંહ ચૌહાણનું નિધન
સોર્સ : gstv
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની બાલીસણા બેઠકના ચાલુ ડેલિગેટ અને કોંગ્રેસના પીઢ નેતા કાળુસિંહ રામસિંહ ચૌહાણનું ફેફસાંની બીમારીના કારણે અવસાન થયું છે. તાલુકા કક્ષાએ લાંબા સમયથી સક્રિય અને અનુભવી નેતા એવા કાળુસિંહના નિધનના સમાચાર વહેતા જ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન બાલીસણા ગામેથી નીકળશે.

