VIDEO: સાબરકાંઠામાં દુષ્કાળ જાહેર કરવાની કિસાન સંઘની માંગ
સોર્સ : gstv
સાબરકાંઠા કિસાન સંઘે જિલ્લામાં નહીવત વરસાદને પગલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કિસાન સંઘના જણાવ્યા મુજબ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 25થી 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે મગફળી, સોયાબીન, કપાસ અને એરંડા સહિતના પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પાકની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવા સાથે સાબરકાંઠા જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની પણ રજૂઆત કરાઈ છે. આગામી દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

