Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Wife, who was fired by her husband in Nageshwar, dies during treatment

Rajkot: નાગેશ્વરમાં અનૈતિક સંબંધોના કારણે પતિના ફાયરિંગનો ભોગ બનેલી પત્નીનું સારવાર દરમિયાન મોત

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: નાગેશ્વરમાં અનૈતિક સંબંધોના કારણે પતિના ફાયરિંગનો ભોગ બનેલી પત્નીનું સારવાર દરમિયાન મોત
સોર્સ : gstv

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પતિ દ્વારા પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ગંભીર ઘટનામાં આજે દુઃખદ અંત આવ્યો છે. ફાયરિંગનો ભોગ બનેલી પત્ની તૃષા પઢિયારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે.

App Store

અનૈતિક સંબંધોને કારણે પતિએ ગોળી મારી

પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, પતિ લાલજી પઢિયારે જ આ કૃત્ય આચર્યું હતું. લાલજી પઢિયારે પત્ની તૃષાના અનૈતિક સંબંધો હોવાની શંકાથી આવેશમાં આવીને તેના પર ગોળીબાર કર્યો હતો.

ફાયરિંગ બાદ તૃષાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં લાંબી સારવાર છતાં તબીબો તેને બચાવી શક્યા નહોતા.

આ હત્યાની ઘટનાથી સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હવે આ કેસને હત્યાના ગુનામાં તબદીલ કરીને આરોપી પતિ લાલજી પઢિયાર વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.

પતિએ પત્ની પર કર્યું હતું ફાયરિંગ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 42 વર્ષીય પતિ લાલજી પઢિયારે પોતાની પત્ની તૃષા પઢિયાર (ઉ.વ. 39 ) પર ફાયરિંગ કર્યું હતું. લાલજી પઢિયારે પત્ની તૃષા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેના કારણે તૃષા પઢિયારની હાલત અત્યંત ગંભીર છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.