VIDEO: રાજકોટઃ હિંગળાજ નગરના રહીશોને ચોમાસા દરમિયાન ડિમોલિશનમાંથી મોટી રાહત
સોર્સ : GSTV
રાજકોટના હિંગળાજ નગરના રહીશો માટે ચોમાસાની ઋતુ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન મકાનોનું ડિમોલિશન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. મીડિયાના અહેવાલો બાદ આખરે નિંદ્રાધીન મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને મનપા હાલ પૂરતું કોઈ મકાન નહીં તોડે. જો કે, ચોમાસા દરમિયાન આવી નોટિસ આપવી કે ન આપવી તે અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. જેના કારણે ૯ વર્ષ બાદ જમીનની કિંમતમાં થયેલો તોતિંગ વધારો મનપા વસૂલશે કે કેમ તે અંગે હજુ પણ અસમંજસતા યથાવત છે. આ ગંભીર મામલે મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે વહીવટી તંત્ર પાસે હાલ તમામ વિકલ્પો ઉપલબ્ધ છે અને તેના આધારે જ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

