Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Commissioner appoints five-member inquiry committee in Rajkot Jangleshwar demolition bill dispute

VIDEO : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદમાં કમિશનરે પાંચ સભ્યોની તપાસ સમિતિ નીમી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદમાં હવે તપાસના નાટક શરૂ કરી દેવામાં આવ્યા છે . રાજકોટ મેયરના આદેશ બાદ મનપા કમિશ્નર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ડેપ્યુટી મનપા કમિશ્નર સી.કે. નંદાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હર્ષદ પટેલ, ભરત કથરોટિયા, અમિત સવજીયાણી અને પરેશ અઢિયા સભ્ય તરીકે જોડાયા છે. સમિતિ જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન રજૂ કરાયેલા તમામ બિલોની એક પછી એક વિગતવાર ચકાસણી કરશે. જોકે, આ વિવાદમાં ખુદ મનપા કમિશ્નર તુષાર સુમેરાનું નામ પણ ચર્ચાના કેન્દ્રમાં હોવાથી તપાસના પરિણામો પર સૌની નજર મંડાઈ છે.

App Store