Rajkot news: શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાને કરી આત્મહત્યા

સોર્સ : gstv
રાજકોટમાં શહેર પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફરજ બજાવતા એસઆરપી જવાન ગજુભા જે. રાઠોડે પોતાની સર્વિસ રાઇફલ વડે છાતીમાં ગોળી મારીને આપઘાત કરી લીધો છે.ઘટના બનતા જ ગજુભા રાઠોડને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી
આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે..આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

