VIDEO: રાજકોટમાં આઘાતજનક સામૂહિક આપઘાત
સોર્સ : gstv
રાજકોટમાં લોહાણા પરિવારના સામૂહિક આપઘાત મામલે નવા ખુલાસાઓ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પરિવાર આર્થિક સંકટમાં ફસાયો હોવાની માહિતી મળી રહી છે. પોલીસ તપાસ મુજબ મૃતક યુવાન નિશિત ખખ્ખરે અનેક લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા, જેના કારણે મોટું દેવું થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ ઉધાર અને આર્થિક વ્યવહારો અંગે પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે. મૃતક પિતા દિલીપભાઈ ખખ્ખર PWDમાં નિવૃત્ત ક્લાર્ક હતા. ઉપરાંત વર્ષ 2018માં પરિવારના મોટા દીકરાનું પણ અવસાન થયું હતું. સમગ્ર ઘટનાને લઈને રઘુવંશી સમાજે પરિવારને ન્યાય મળે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી કરી છે...

