Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: New revelation from the police in the murder case of a middle-aged man

Rajkot news: આધેડની હત્યા મામલે પોલીસનો નવો ખુલાસો, નશાખોર પિતાની પુત્રએ જ કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: આધેડની હત્યા મામલે પોલીસનો નવો ખુલાસો, નશાખોર પિતાની પુત્રએ જ કરી હત્યા
સોર્સ : gstv

રાજકોટમાં ગત રોજ આધેડની હત્યમાં નવો વળાંક આવ્યો છે.  પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ કોઠારીયા રોડ પરનાં હુડકો કવાર્ટર નંબર ડી-૬૯માં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.૫૬) મોજા, કટલેરીની ફેરી કરતા હતાં. તેને સંતાનમાં બે પુત્ર હર્ષ (ઉ.વ.૨૨) અને પાર્થ (ઉ.વ.૨૦) છે. નરેશભાઈને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની કુટેવ હતી.જેને કારણે કામધંધો પણ સરખી રીતે કરતા નહીં. બન્ને પુત્રો પણ કોઈ કામધંધો કરતા નહી. આ સ્થિતિમાં તેની પત્ની સ્મિતાબેન ઈમિટેશન વગેરેનું નાનુ મોટું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતાં.  

App Store

બન્ને પુત્રો પણ કોઈ કામધંધો કરતા નહી

નશાને કારણે ભાન ભૂલી જતાં પરિવારનાં સભ્યો સામે છરી ઉગામી ડરાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આધેડની પત્નીને અંગુઠા પાસે છરી વાગી ગઈ હતી, જેને કારણે તેને લોહી નીકળવા લાગ્યું હતું. આ દ્રશ્ય પુત્ર હર્ષથી સહન નહી થતા તેણે પિતા નરેશભાઈ પાસેથી છરી આંચકી લઈ તેના બે ઘા છાતીમાં અને ડાબા હાથમાં ઝીંકી દેતા ત્યાં તરફડીયા મારી દમ તોડી દીધો હતો. જાણ થતાં ભક્તિનગર પોલીસ ઉપરાંત એસીપી, ડીસીપી સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.

ભોગ બનનારના બહેન વર્ષાબેન પંડયા (ઉ.વ.૫૫, રહે, દ્વારકેશ સોસાયટી, રેલનગર)ની ફરિયાદ પરથી તેની ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ સામે ખુનનો ગુનો નોંધ્યો હતો. પોલીસને સ્મિતાબેનની પણ સંડોવણી હોવાની માહિતી મળતા તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો, પરંતુ દિવસભરની તપાસનાં અંતે તેના વિરૂધ્ધના કોઈ પુરાવા નહી મળતા પોલીસે અટકાયત કરી ન હતી. હાલ માત્ર હર્ષની અટકાયત કરી પોલીસે તપાસ જારી રાખી છે. જો આગળ જતા સ્મિતાબેન વિરૂધ્ધના પુરાવા મળશે તો તેની પણ અટકાયત કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

 

ટોપિક્સ:gstvgujaratરાજકોટ