Rajkot news: પોપટપરા જેલમાં બંધ કેદીએ કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : gstv
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં રાજકોટમાં વધુ એક કેદીના આપઘાતની ઘટના સામે આવી છે. પોપટપરા જેલમાં બંધ કેદી રાજેન્દ્ર રાઠોડએ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં આપઘાત કર્યો છે.
કેદીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત
રાજેન્દ્ર રાઠોડની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.કેદી રાજેન્દ્ર રાઠોડે પંખામાં દોરડું બાંધીને આ પગલું ભર્યું હતું. તેણ તેની પરણીત પુત્રીના પ્રેમીની હત્યા કરી હતી. તે મામલે જેલમાં બંધ હતો. રાજેન્દ્ર રાઠોડ PGVCLમાં કાર્યરત હતો

