Surendranagar news: LCB કચેરીમાં યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, બાઇક ચોરીની શંકામાં કરાઇ હતી પૂછપરછ

સોર્સ : GSTV
સુરેન્દ્રનગર LCB કચેરીમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બાઇક ચોરીની શંકામાં પૂછપરછ માટે યુવકને લાવવામાં આવ્યો હતો. પોલીસ બનાવની જાણ યુવકના પરિજનોને કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકના મૃતદેહને PM અર્થે ખસેડાયો
સુરેન્દ્રનગરની એલસીબી કચેરીમાં આરોપીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. 26 વર્ષીય ગજેન્દ્રસિંહ ઝાલા નામના યુવકને બાઇક ચોરીની શંકામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં LCB સહિતની ટીમો હાજર રહી હતી અને પરિવારજનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

