VIDEO: રાજકોટ ભાજપની 'ઋણ સ્વીકાર રેલી' મોકૂફ, સ્વ. ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેનનું નિધન થતાં લેવાયો નિર્ણય
સોર્સ : gstv
રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત 'ઋણ સ્વીકાર રેલી' મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર ગણાતા સ્વ. ચીમનભાઈ શુક્લના પ્રથમ ધર્મપત્ની મધુબેન શુક્લનું નિધન થતા પક્ષ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, સ્વ. ચીમનભાઈએ પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓની પેઢી તૈયાર કરી હતી. અગાઉ છ વર્ષ પહેલાં તેમના બીજા ધર્મપત્ની રસીલાબેનનું પણ અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

