VIDEO: રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે પીજીવીસીએલની કામગીરી: 529 ગામોમાં વીજળી પુનઃ શરૂ
સોર્સ : GSTV
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી આફત વચ્ચે વીજ પુરવઠો જાળવી રાખવા PGVCLની 60 ટીમો દિવસ-રાત ખડેપગે કામ કરી રહી છે. પૂરના પાણી ભરાવાને કારણે 27 ટ્રાન્સફોર્મર અને 344 વીજ ફીડરો પ્રભાવિત થયા હતા, છતાં ટીમોની ભારે જહેમત બાદ સૌરાષ્ટ્રના 529 ગામોમાં વીજ પુરવઠો ફરી બહાલ કરાયો છે. પાણી ઓસરતા જ પ્રભાવિત પોલ અને ટ્રાન્સફોર્મરનું રિપેરિંગ હાથ ધરાશે. તંત્રએ લોકોને વીજ ઉપકરણો સાથે જાતે ચેડાં ન કરવા અપીલ કરી છે.

