VIDEO: વિછીયાના છ ગામના ખેડૂતોને મોટી રાહત, ઇકોસેન્સિટિવ ઝોનની નોંધ હટાવાશે
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામના ખેડૂતોની જમીનના 7/12ના ઉતારામાંથી ઇકોસેન્સિટિવ ઝોનની નોંધ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પર્યાવરણ અને વન વિભાગ દ્વારા ખેડૂતોને આ મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વન વિભાગના અધિકારીઓ સાથે ગ્રામજનોની બેઠક યોજી હતી. નોંધ દૂર થયા બાદ ખેડૂતો પોતાની જમીન પર કુવો ખોદવા સહિતની જરૂરી કામગીરી કરી શકશે. આ નિર્ણયથી વર્ષોથી અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. સાથે જ હિંગોળગઢ અભ્યારણ્યની ફરતે સુરક્ષા માટે દિવાલ બનાવવાની યોજના પણ હાથ ધરવામાં આવશે.

