VIDEO: ધોરાજીમાં આધુનિક સિવિલમાં નિષ્ણાત તબીબોનો અભાવ, ગંભીર દર્દીઓને સિવિલમાંથી કરવા પડે છે રિફર
સોર્સ : gstv
રાજકોટના ધોરાજીમાં આધુનિક સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોનો અભાવ જોવા મળ્યો છે. જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, ENT સર્જન તથા ગાયનેકોલોજિસ્ટની જગ્યાઓ ખાલી હોવાથી ગંભીર દર્દીઓને રાજકોટ-જૂનાગઢ રિફર કરવા પડે છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં ડોક્ટરની બદલી બાદ ખાલી
ગાયનેક વોર્ડ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં ડોક્ટરની બદલી બાદ ખાલી પડ્યો છે. બાળ આઈસીયુ દોઢ વર્ષથી તૈયાર હોવા છતાં બાળરોગ નિષ્ણાતના અભાવે બંધ છે. જૂનું બિલ્ડિંગ 1 કરોડ 80 લાખ રૂપિયાના રિનોવેશન બાદ ઉદ્ઘઘાટનની રાહ જોઈ રહ્યું છે. અધિક્ષકે પણ ડોક્ટરોની ઘટનો સ્વીકાર કર્યો છે. આસપાસના 80 હજાર લોકોને સ્થાનિક સારવાર મળે તે માટે તાત્કાલિક ભરતીની જરૂરી છે.

