Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Impact of Sugar Shortage on Affordable Cereal Shops in Rajkot

VIDEO: રાજકોટમાં ખાંડની અછતની સસ્તા અનાજની દુકાનોમાં અસર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ખાંડની અછતની અસર હવે સસ્તા અનાજની દુકાનોમાં પણ જોવા મળી રહી છે. સસ્તા અનાજના દુકાનદારો માટે ખાંડનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા આગામી સપ્ટેમ્બર મહિનામાં અનેક ગરીબ પરિવારોને ખાંડ મળવી મુશ્કેલ બનવાની શક્યતા છે. અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને સરકાર દ્વારા ખાંડનો જથ્થો આપવામાં આવે છે. દુકાનદાર એસોસિએશનનો દાવો છે કે અંદાજે 35 ટકા દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં ખાંડનો જથ્થો નહીં મળે. રાજકોટ શહેરમાં 175 અને જિલ્લામાં આશરે 700 સસ્તા અનાજની દુકાનો કાર્યરત છે. દુકાનદારોએ પુરવઠા વિભાગને રજૂઆત કરી બાકી રહેલા દુકાનદારોનું રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવાની માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News