રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપરવાસમાં પડેલ ધોધમાર વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. ધોરાજીના નાની પરબડી પાસેથી પસાર થતી ફુલઝર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી નદીના કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે નાની પરબડીથી ચોકી જૂનાગઢ તરફ જતો રસ્તો બંધ કરાયો હતો.