Rajkot: બે ટોલ પ્લાઝા પર હેવી વાહનોના ટોલ દરમાં ઘટાડાની જાહેરાત

સોર્સ : ગસ્ટવ
રાજકોટ જિલ્લાના વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં આવેલા બે મુખ્ય ટોલ પ્લાઝા – પીઠડીયા અને ભરૂડી – પર હેવી કોમર્શિયલ વાહનોના ટોલ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા 1 ઓક્ટોબરથી જ ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો અમલ હવે આ ટોલ પ્લાઝા પર શરૂ થઈ ગયો છે.
ઘટાડાની વિગતો
ટ્રક, મિની બસ અને થ્રિ-એકશેલ કોમર્શિયલ વાહનો સહિતના મોટા વાહનોના ટોલ દરમાં ₹ 5 (પાંચ રૂપિયા) નો ઘટાડો કરવામાં આવ્યો છે.
જોકે, નાના વાહનો જેવા કે કાર અને જીપના ટોલ દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ ઘટાડો મુખ્યત્વે માલવાહક અને મોટા પેસેન્જર વાહનો માટે લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી પરિવહન ખર્ચમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે.

