Rajkot news: સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે બબાલ બાદ થયું ઘર્ષણ, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : GSTV
ગુજરાત રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં મહિલાના હત્યા કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એસ કે વોરા અને બચાવ પક્ષના વકીલ કમલેશ મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ ઘર્ષણ સુધી પહોંચી ગઈ હતી.
વકીલ વચ્ચે પુરસીસને લઈને વિવાદ થયો
તબીબની જુબાની દરમિયાન બંને વકીલ વચ્ચે પુરસીસને લઈને વિવાદ થયો હતો.. મળતા અહેવાલ પ્રમાણે બન્ને વકીલો વચ્ચે બબાલ બાદ કોર્ટે તુરંત મુદ્દત આપી દીધી.બંને વકીલોએ પ્રિન્સિપાલ જજને લેખિત ફરિયાદ કરી, પરંતુ સિનિયર વકીલોની મધ્યસ્થીથી પોલીસ ફરિયાદ ટાળવામાં આવી.આ ઘટનાથી હાજર લોકો ચોંકી ગયા હતા.

