Rajkot: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13 લોકો સાથે છેતરપિંડી, રૂ. 96.30 લાખની ઠગાઈ કરી

સોર્સ : GSTV
ગુજરાતમાં શેરબજારના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી છેતરપીંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હોપ સ્યોર કેપિટલના સંચાલકોએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13 જેટલા નિર્દોષ રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 96.30 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હિરેન સુરેશ અકબરી નામના સંચાલક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર લોકો પાસે આરોપીએ જુલાઈ 2024થી કટકે-કટકે પૈસાનું રોકાણ કરાવ્યું હતું. શરુઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે થોડા મહિનાઓ સુધી નિયમિત વળતર ચૂકવ્યું હતું. બાદમાં રોકાણકારોએ પોતાની મૂડી પરત માંગી ત્યારે સંચાલક દ્વારા બહાનાબાજી શરૂ કરવામાં આવી હતી.

