Patan News: કાત્યોક મેળાના પ્રથમ દિવસે રાત્રે મેળામાં ગાયો દોડી, લોકોના જીવ તાળવે ચોંટ્યા
પાટણમાં સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાનો કાત્યોક મેળો ચાલી રહ્યો છે. ગઈ કાલે સોમવારે, 3 નવેમ્બરના રોજ આ મેળાને વિધિવત ખુલ્લો મુકાયો હતો. ખાસ તો આ મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે ઉમટી રહ્યા છે. આ મેળો સાત દિવસ સુધી ચાલે છે, ત્યારે આ મેળાના પહેલા જ દિવસે એક મોટી ઘટના ઘટી ગઈ હતી.
કાત્યોક મેળાના પ્રથમ દિવસે રાત્રે મેળામાં ગાયો દોડી
પ્રખ્યાત કાત્યોક મેળામાં એક તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, તો બીજી તરફ આ મેળો માણવા આવતા લોકોને કડવો અનુભવ થયો હતો. અહીં ગઈ કાલની રાત્રે વરસાદી વાતાવરણ તો હતુ જ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યારે આ અવ્યવસ્થા મેળામાં ગાયો દોડી હતી. આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે. ઘટના દરમિયાન અહીં મેળામાં હાજર લોકો પણ હતા.
પાલિકાની બેદરકારી સામે આવી
રાહતની વાત એ છે કે, આ ગાયો દોડી તે સમયે કોઈ મોટી ઘટના નથી ઘટી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પણ આ પાલિકાની બેદરકારી તો સામે આવી છે. આવા પ્રખ્યાત મેળામાં જ્યાં અનેક લોકો આવતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ મોટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં મેળાનું આયોજન કરનારાઓએ આ બાબતે કોઈ ચૂક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

