VIDEO: નવસારીમાં પૂર બાદ રોગચાળાનો ખતરો: વિજલપોરમાં લોકોનો તંત્ર સામે આક્રોશ
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ નવસારીમાં પૂરના પાણી ઓસરતા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે. મનપા કમિશનર અને મેયરની ટીમ ૨૫થી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરવા પહોંચી ત્યારે વિજલપોરના દેસાઈવાડમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ૭૦ વર્ષમાં પહેલીવાર સોસાયટીઓમાં ગટરના પાણી ઘૂસ્યા છે, જેનાથી રોગચાળાનો ભય ઊભો થયો છે.કમિશનરે સ્ટાફની અછતનો સ્વીકાર કરતા ખાતરી આપી છે કે જરૂર પડ્યે બહારથી વિશેષ ટીમો બોલાવીને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાશે.

