VIDEO: નર્મદા: તિલકવાડાના નલિયા ગામ નજીક રેલવે બ્રીજની દિવાલ સાથે મોટરસાઈકલ અથડાતા બે યુવકોના કરુણ મોત
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં મોટરસાઈકલ રેલવે બ્રીજની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા બે સવારના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં વાહનનો આગળનો ભાગ છૂટો પડીને દૂર જઈને પડ્યો હતો….મૃતકો ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના રહેવાસી રામજી વસાવા અને ઈશ્વર વસાવા હોવાનું સામે આવ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

