VIDEO: ડેડીયાપાડામાં વનવિભાગના કર્મીઓએ ખેડૂતને માર માર્યો હોવાનો આક્ષેપ, રજૂઆત દરમિયાન સાંસદ પણ અકળાયા
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બારખાડી-કામોડિયા ગામે વનવિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જંગલ વિસ્તારના ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ-સફાઈ અને ખેડાણ કરી રહ્યા છે, ત્યારે વનવિભાગના કર્મચારીઓ દ્વારા એક આદિવાસી ખેડૂતને કામ કરતો અટકાવી માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટના બાદ પીડિત ખેડૂત ન્યાયની માંગ સાથે સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યો હતો. આ રજૂઆત દરમિયાન સાંસદ પણ વનવિભાગની જોહુકમી સામે ભારે અકળાયા હતા.

