VIDEO: મોરબી: આંદોલનકારી નિલેશ એરવાડિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ ગરમાયું છે. એક તરફ હકાભા ગઢવી દ્વારા ઉપવાસી નિલેશ એરવાડિયા પર આક્ષેપ કરવામા આવ્યા છે તેવામા નિલેશ એરવાડિયાએ સરકાર પર આંદોલન તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેને લઈને તેઓ હવે એસપીને મળી સુરક્ષાની માંગ કરવાના છે.આંદોલનને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જેતપર ખેડૂત આંદોલન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

