VIDEO: મોરબી જનસાભામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાના આકરા પ્રહાર, કહ્યું જો કોઈનું પડાવ્યું કે લીધું હોય તો કહી દેજો
ગુજરાતમા મોરબીમાં પાટીદાર જન ક્રાંતિ સભા યોજાઈ હતી. આ સભામાં ધારાસભ્યએ વિરોધીઓને આડે પાટે લીધા હતા. જનસભામાં મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે ખડેપગે હોવાનું જણાવ્યું હતું.
જાહેર સભામાં કહ્યું કોઈને કંઈપણ કામ હોય તો અડધી રાત્રે કરજો ફોન- કાંતિ અમૃતિયા
તો બીજી ધારાસભ્યએ જાહેર સભામાં કહ્યું કે કોઈને પણ કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે ફોન કરવા લોકોને જણાવ્યું હતું અને મોરબીમાં કોઈ પણ વેપારીને પરેશાન કરવા કે સીડી ઉતારી બ્લેકમેઇલ કરવાની હિંમત ન કરે અને ભુતકાળમાં આવી રીતે બ્લેકમેઇલ કરાયાં છે એટલે પાટીદાર સમાજ સંગઠીત રહેવા આહ્વાન કર્યું હતું. ગોળ હોય ત્યાં કીડીઓ હોય છે, આપણે બધી કીડીઓ મારી નાખવી.
કોઈનું લીધું હોય કે કાંઈ પડાવ્યું હોય તો કહેજો હું જાહેરમાં જવાબ આપવા તૈયાર- કાંતિ અમૃતિયા
તમારા બધાનો 30 વર્ષથી સહકાર મળ્યો છે તે મામલે પણ કોઈકને ગલગલિયા થયા છે એ પણ હું જાણું છું. આ વેપારીનું શહેર છે. એક ગોળીથી મરવાનું છે દવાથી નથી મરવું નથી., છેલ્લા 30 વર્ષમાં કાંતિ અમૃતિયાએ કોઈનું લીધું હોય કે કાંઈ પડાવ્યું હોય તો કહેજો હું જાહેરમાં જવાબ આપવા તૈયાર છું.

