Morbi news: મોરબીના જવાન ગણેશ પરમાર શહીદ, ગાર્ડ ઑફ ઓનર બાદ અંતિમવિધિ, હજારો લોકો જોડાયા

Morbi news: મોરબી શહેરના જવન ગણેશ પરમાર ડયૂટી દરમ્યાન ગત 9 ડિસેમ્બરે સિકંદરાબાદમાં શહીદ થયા હતા. જે બાદ શહીદ જવાનના પાર્થિવ દેહને મોરબી લવાયો હતો. જ્યાં જવાનો દ્વારા શહીદ જવાન ગણેશભાઈ પરમારનો યુનિફોર્મ પરિવારને સોંપાયો હતો.જે બાદ મોરબીનાું હજારોનું માનવ મહેરામણ અંતિમયાત્રામાં ઉમટયું હતું.
અંતિમયાત્રા ઘરે પહોંતચતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદન થયું હતું. જે બાદ જવાનોએ શહીદ ગણેશ પરમારને ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું. શહીદ જવાનની અંતિમ યાત્રા પસાર થતા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોરબીના હજારો લોકો જોડાયા હતા. જે બાદ મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલથી અંતિમયાત્રા રવાના થઈ હતી. અને મોરબી શહેરના વિવિધ માર્ગો પરથી નીકળી સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં સૌએ રડતી આંખે શહીદને અંતિમ વિદાય આપી હતી.

