Morbi: વન વીક વન રોડ અંતર્ગત ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, પંચાસર રોડ પરથી અતિક્રમણ દૂર કરાયું
સોર્સ : GSTV
મોરબી મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અભિયાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અતિક્રમણયુક્ત માર્ગોને મુક્ત કરવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે.પંચાસર ચોકડી પાસેના રોડ પર મહાનગરપાલિકાની ટીમે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધર્યુ હતુ. આ અભિયાન હેઠળ દર બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અતિક્રમણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યા ઘટશે અને રોડ પહોળા થશે. નાગરિકોમાં આ અભિયાનને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે.

