VIDEO: વડનગર શ્રાવણોત્સવના અંતિમ દિવસે શર્મિષ્ઠા તળાવ ખાતે પધારો
સોર્સ : gstv
મહેસાણાના ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ‘વડનગર શ્રાવણોત્સવ’ને અદભૂત પ્રતિસાદ જોવા મળ્યો. ત્રણ રવિવાર દરમિયાન કુલ ૩૮ હજાર ૧૧૯ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો ૧૦ હજાર ૨૦૮ પ્રવાસીઓએ આનંદ માણ્યો છે. શિવ આરાધના, શાસ્ત્રીય સંગીત, હુડો રાસ અને આકર્ષક લેસર-લાઈટિંગ શો આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યા છે, જ્યાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો છે.

