મહીસાગરના કોયડમમાં સ્મશાન તરફ જવાનો માર્ગ યોગ્ય ન હોવાથી ગ્રામજનોને હાલાકી
સોર્સ : gstv
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં વિકાસની વાતો વચ્ચે સ્મશાન જતો રસ્તો ડામાંડોળ છે. દાતિયાના મુવાડાથી સ્મશાન સુધીનો એક કિલોમીટરનો રસ્તો કાચો હોવાથી ગ્રામજનોને કાદવ-કીચડ વચ્ચે નનામી લઈ જવા મજબૂર બનવું પડે છે. સ્થાનિકો દ્વારા માર્ગના પુનઃનિર્માણ માટે અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજ દિન સુધી આરસીસી માર્ગ ન બનતાં લોકોને કાચા રસ્તા પર મહામુશ્કેલીએ નનામી લઈ જવી પડે છે. કાદવ-કીચડને કારણે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.

