VIDEO: ગાંધીધામમાં હૃદયદ્રાવક ઘટના; હનુમાન મંદિર પાસે તળાવમાં ડૂબી જતાં 14 વર્ષના કિશોરનું કરુણ મોત
સોર્સ : GSTV
કચ્છના ગાંધીધામમાં એક કરુણ ઘટના સામે આવી છે. અહીં અંતરજાળ પાતળિયા હનુમાન મંદિર પાસે આવેલા તળાવમાં નાહવા ગયેલા ૧૪ વર્ષના એક કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ, ૧૬ કલાકના અંતે આજે સવારે ૯ વાગ્યે કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

