VIDEO: નડિયાદ: ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
સોર્સ : gstv
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે નડિયાદ સહિત રાજ્યભરમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી…. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. ગ્રામસેવકો પાસે અન્ય સંવર્ગનું કામ કરાવવા પર પ્રતિબંધ મૂકવા, સ્પષ્ટ જોબચાર્ટ જાહેર કરવા, સેજાઓનું પુનઃગઠન કરી ૧થી ૨ ગામ વચ્ચે એક જગ્યા ઊભી કરવા, નિયમિત પ્રમોશન આપવા, ૪૨૦૦ ગ્રેડ-પેનો લાભ આપવા તેમજ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

