Gujarat news: કોંગ્રેસ જન આક્રોશ યાત્રા પાર્ટ-ટુનો આજે બીજો દિવસ, 6 જાન્યુઆરીએ દાહોદમાં થશે સંપન

સોર્સ : gstv
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા પાર્ટ-ટુનો આજે બીજો દિવસ છે.ગઈકાલે ફાગવેલથી શરૂ થયેલી યાત્રાએ ડાકોરમાં રાત્રિ રોકાણ કર્યુ હતુ..અને આજે ડાકોરથી યાત્રા પ્રસ્થાન કરીને આગળના ગંતવ્ય તરફ જશે..
20 ડિસેમ્બરે ખેડાના ફાગવેલ ધામે ધજા અર્પણ કરીને યાત્રાની શરૂઆત થઈ
20 ડિસેમ્બરે ખેડાના ફાગવેલ ધામે ધજા અર્પણ કરીને યાત્રાની શરૂઆત થઈ હતી..જે છ જાન્યુઆરીએ દાહોદના કંબોઈ ધામમાં સમાપન થશે..આ જન આક્રોશ યાત્રા 7 જિલ્લા, ત્રણ મહાનગરપાલિકા, 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી ભ્રમણ કરવાની છે.
અંદાજે 1400 કિલોમીટર સુધી આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરશે
અંદાજે 1400 કિલોમીટર સુધી આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરશે.ગુજરાતમાં ગાજેલા વિવિધ ભ્રષ્ટાચારના આરોપ, દારુ-ડ્રગ્સ સહિતની બદીઓ બંધ કરવા માટે જાગૃતિ અભિયાન સાથે આ યાત્રા ફરશે..

