VIDEO: ચાંદાણામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં 8 આરોપીઓના જામીન નામંજૂર
સોર્સ : gstv
ખેડાના ચાંદાણા ગામના દુષ્કર્મ કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન નામંજૂર કર્યાં. સાથે દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત તેના ૮ મિત્રોની સંડોવણીના પુરાવા સામે આવ્યાં કોર્ટે જામીન નામંજૂર કર્યાં..આરોપીઓએ ભોગ બનનાર સગીરાના ફોટોઝ પણ પાડ્યાં તા અને તેના અન્ય સાગરીતોએ પણ દુષ્કર્મ આચર્યું હતુ. ભોગ બનનાર સગીરા સાથે બનેલી આપવીતી અંગે માતા-પિતાને જાણ થતાં જ તેઓએ ત્વરિત પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત અરજી કરી ગુનો દાખલ કરાવ્યો હતો..કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીઓને કોઈ પણ જાતની રાહત આપવાનો ઇનકાર કરી જામીન અરજી ફગાવી દીધી છે.

