VIDEO: પીએમ મોદીના 76મા જન્મદિવસે રણછોડરાય મંદિરમાં ૬,૦૦૦ દીવડા પ્રગટાવી કરાઈ ઉજવણી
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અને રોશનીસભર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 7:20 વાગ્યાના ટકોરે મંદિરના પરિસરમાં એકસાથે 6,000 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ મનોરમ્ય દીપોત્સવથી મંદિરનું ગર્ભ ગૃહ, પરિસર, દીવાદાંડી તેમજ સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. મંદિરનો શિખર ભાગ અને ઘુમ્મટ રંગબેરંગી ઝગમગાટ રોશનીથી અલૌકિક સુંદરતાથી સજાવાયા હતા. આ શુભ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે 'જયઘોષ' કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહવર્ધક બનાવી દીધું હતું.

