VIDEO: દીપડાની દહેશતના કારણે જુનાગઢનો ઉપરકોટ કિલ્લો સતત પાંચમા દિવસે બંધ રહ્યો
સોર્સ : gstv
જૂનાગઢમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન ઉપરકોટ કિલ્લા પર આશરે પચાસ હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડવાનો અંદાજ હોય છે, પરંતુ દીપડાની દહેશતના કારણે મુખ્ય પ્રવાસન સ્થળ સળંગ પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સ્થળે દીપડો ઘૂસી જતાં વન વિભાગ દ્વારા વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, છતાં અત્યંત ચપળ દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થતા પ્રવાસીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.

