VIDEO: મથુરેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી મેળો: પાંડવકાળ અને નરસિંહ મહેતાની રાસલીલાનો પૌરાણિક ઇતિહાસ
સોર્સ : gstv
જૂનાગઢના બિલખાથી ૧૦ કિમી દૂર ગિરનાર ઉત્તર રેન્જના જંગલમાં આવેલ પૌરાણિક મથુરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસે ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન ભીમે અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું અને હિડિંબાના ભાઈનો વધ કર્યો હતો. આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભક્ત નરસિંહ મહેતાને શિવજીએ કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. પ્રાથમિક સુવિધાઓ અને વિકટ રસ્તાઓ હોવા છતાં, કુદરતી ખોળે આવેલું આ ધામ શ્રદ્ધાળુઓ માટે અતુટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

