VIDEO: જૂનાગઢ: ગિરનારની ત્રણેય સીડી પર હવે આજથી 25 ટ્રેકર્સ તૈનાત રહેશે
સોર્સ : gstv
જૂનાગઢમાં યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર માર્ગ પર સતત નજર રાખવા માટે આજથી ૨૫ ટ્રેકર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે…. ગયા મહિને બાળક પર હુમલાની ઘટના બાદ નક્કી કરાયેલી એસઓપી અંતર્ગત આ ટ્રેકર્સને એક સપ્તાહની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ ટીમ વન્યજીવોની હિલચાલ પર બાજ નજર રાખી સંભવિત જોખમ અંગે આગોતરી જાણ કરશે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડી શકાય.

