Junagadh: કમોસમી માવઠાને કારણે નિષ્ફળ ગયેલો મગફળીનો પાક ખેડૂતોએ સળગાવ્યો
સોર્સ : GSTV
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે જૂનાગઢના માંગરોળમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ ખેતરો ખાલી કરવા માટે મગફળીના નુકસાનીવાળા પાકને સળગાવ્યો. હાલ ખેડૂતોને મજૂરીના પૈસા પોસાય તેમ ન હોવાને કારણે ખેડૂતોએ મગફળીના પાકને સળગાવ્યો.

